આપણે જેવું વિચારીએ છીએ તેવા જ બનીએ છીએ.

આપણે શા માટે બીજા શુ વિચારે છે તેની ચિંતા કરીએ છીએ? આ રીતે આપણે આપણી જાતને નીચી કરીને સામેવાળાની સંતોષની લાગણીઓ વધારીએ છીએ.

આપણે આપણી જાતેજ નક્કી કરવું પડશે કે આપણા માટે મહત્વનું શુ છે. આપણી સિદ્ધિઓ જરૂરી નથી કે બીજાની વિચારધારાઓ પર જ આધારિત હોય. આપણે આપણી રીતે પણ આપણા રસ્તાઓ કરી શકીએ છીએ, હું એમ નથી કહેતો કે લોકોની વાતો સાંભળો જ નહીં, સાંભળો પરંતુ સારી વાતો.

આપણી પાસે એકજ જીવન છે અને એ આપણું પોતાનું છે. જીવનને એવી રીતે ઘડવું જોઈએ કે લોકો આપણાં જીવન થી પ્રેરણા લે. આપણે એ ભીડનો હિસ્સો ન બનવું જોઈએ કે જેમાં માત્ર ફોલૌવર્સ જ હોઈ.

જો આપણે વિચારીશું કે આપણે કંઈક ખાસ છીએ તો આપણે ખાસ છીએ. જો આપણે આપણી જાતને નક્કામી સમજીશું તો આપણે એજ છીએ.

જો આપણે એક વાર મન મક્કમ કરી નક્કી કારીલાઈયે કે હું xyz કામ કરી શકીશ તો આપણા થી એ કામ થશે જ. અને જો આજ વાત વિશ્વાસમાં પરિણામે તો આપણને આ દુનિયામાં ધરેલ પરિમાણ મેળવતા કોઈ ન રોકી શકે. વિચારવું અને એ વિચારને વિશ્વાસમાં પરિમાણિત કરવું એ મહત્વનું છે.

લોકો આપણા વિશે શું વિચારે છે એ ક્યારેય આપણા માથાનો દુખાવો ન હોવો જોઈએ. એ એમની સમસ્યા છે, આપણી નહિ. કેમ ખબર છે? કેમકે એ લોકો જે વિચારે છે એ આપણને બનાવવામાં કે બગાડવામાં કોઈ જ ફાળો નથી આપતા.

જો કોઈ વસ્તુ આપણને બનવવામાં કે બગાડવામાં મદદ કરતી હોય તો એ છે આપણે પોતે અને આપણા વિચારો. આપણે જેવું વિચારીએ છીએ તેવા જ બનીએ છીએ.

(Visited 156 times, 1 visits today)

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *