રુદ્રાક્ષ, કહેવાય છે કે તે મહાદેવના આંસુ છે.
જ્યારે આંસુ આવે ત્યારે તેને જાતેજ લૂછી લો. કેમકે બીજા કોઈને આંસુ લુછવા આપ્યા તો તેવો તેનો દૂર ઉપયોગ કરશે.
અન્ય લોકો આપણી ખામીઓને જાણીને પહેલા સહાનુભૂતિ દેખાડશે અને પછી બદલામાં ઘણું બધું લઇ જશે.
એટલા માટે આપણી ખામીઓને ક્યારેય આંસુ બનવા ન દો. આપણી ખામીનું જ્ઞાન કોઈને ન થવા દો. સ્વયં પર એકાંતમાં કાર્ય કરો અને આપણી ખામીને જ આપણી તાકાત બનાવો. મહાદેવના રુદ્રાક્ષની જેમ આપણા આંસુને, આપણી ખામીઓને એક અલગ રૂપ આપો.
યાદ રાખો જો આપણી ખામીઓ બીજાને બતાવી તો એ અસફળતા તરફ આપણું પહેલું કદમ હશે.
(Visited 67 times, 1 visits today)