વનમાં મોટા ભાગના પશુ પક્ષી પેટ ભરવા શિકાર કરે છે આ શોધમાં ક્યારેક સફળ થાય છે તો ક્યારેક અસફળ. પરંતુ એક શિકારી છે જેનો હુમલો ક્યારેય અસફળ નથી જતો.
એ છે બાજ.
બાજ હંમેશા સફળ એટલા માટે થાય છે કારણકે તેના દરેક શિકારની પાછળ એક યોજના હોઈ છે.
તે પોતાના શિકારને જોઈને તરત હુમલો નથી કરતો, પહેલા તેના પર નજર બનાવી રાખે છે. કલાકો , દિવસો સુધી સતત તેની ઊંચાઈએ થી તેની આજુ બાજુ ઘૂમે છે. શિકારને તેની જાણ પણ નથી થવા દેતો અને પછી ઉચિત સમયે ઝપટે છે અને શિકાર મૃત્યુમાં મુખમાં આવી જાય છે.
આથી જો જીવનમાં સફળ થવું હોય તો ધીરજની સાથે યોજનાઓ બનાવો અને પછી જ્યારે ઉચિત સમય આવે આપણી પોતાની પુરી તાકાત સાથે લક્ષ્ય ઉપર આક્રમણ કરો.
(Visited 56 times, 1 visits today)