Posts in Uncategorized

Now onwards, This blog will be in english only.

Hello there, I am associated myself with blogging since 2009 its almost more than 12 years. Initially i have started blog like how to blog, widgets for blog, SEO and SMO. However with the life goes, my hobbies were stated moving on side and setting  up life gets on track and as a result, I was detached with hobbies but as like slow breathing, umeshkumar.org was a supporting system for it. Somehow I keep doing it in Gujarati language, Some of my previous blogs gets sold and some are got… Read More

સમાધાન ક્યારે?

મિત્રો, ખાસ્સો સમય થઈ ગયો આ બ્લોગ પર ઘણા સમયથી આ બ્લોગ પર પોસ્ટ પબ્લિશ થઈ ન હતી. જૂનું હોસ્ટિંગ પત્યું અને નવું હોસ્ટિંગ ખરીદ્યું. ફાઇલ્સ અને ડેટાબેઝ નવા સર્વેરમાં લિંક કર્યા, મારી આ website તમે જોઈ હશે તો ખ્યાલ હશે કે થોડા પ્રોબ્લેમ્સ ને લીધે design પણ ખરાબ થઈ ગઈ હતી. ખેર આખરે ફરીશ થી બધું બરાબર થઈ ગયું અને આ બ્લોગ ફરીશ થી લખવાનું શરૂ કર્યું. માનવ અને સમાધાન આ બે શબ્દો એક બીજાના વિરોધી છે. માણસ હોઈ ત્યાં સમાધાન હોઈ જ નહીં. અહીં સમાધાન થી મતલબ કંઈક… Read More

કોરાના – આજે તારી વારી, આવતી કાલે અમારી.

Hi… કેમ છો?, આ સવાલ આજના સમયમાં પુછિએ ત્યારે જવાબમાં સારું છે તેવું ઓછું અને કોરોના છે તેવું વધારે સાંભળવા મળી રહ્યું છે. આ સમયની વિડંબના છે કે આજે આ મહામારી એટલી હદ સુધી આગળ વધી ગઈ છે કે લોકોને ડર તો છે જ પણ સાથે સાથે નકારાત્મક વિચારો પણ તેમને નબળા કરી રહ્યા છે. નિચ્ચિત પરિસ્થિતિ પહેલા જેવી તો નથી જ. આજે ઘરમાં હોઈએ બહાર રસ્તા પર રોજની કેટલીય 108 એમ્બ્યુલન્સ ના સાયરનો નો અવાજ સંભળાઈ છે. ન્યૂઝ ચેનલ હોઈ, સોશ્યિલ મીડિયા હોઈ કે પેપર હોઈ જ્યાં જોઈએ ત્યાં… Read More

જયારે વિરોધ જ સ્વભાવ બની જાય…

માણસની પ્રકૃતિ તેના જીવનમાં આવેલા અનુભવોને આધારે ઘડાતી હોઈ છે. માણસનો સ્વભાવ મહત્તમ રીતે એ વાત પર નિર્ભર હોઈ છે કે જેતે વ્યક્તિ કઈ કઈ પરિસ્થિતિ, કેવા સંજોગો અને કેવા વાતાવરણ માંથી આવ્યો છે. જયારે કોઈ વ્યકતી સાથે કોઈ ખરાબ વસ્તુ ઘટિત થાય તો તે વ્યક્તિ જેતે જવાબદાર વ્યક્તિને દોષી તો સમજે છે સાથે સાથે તેના જીવનમાં એજ અનુભવ તેના સ્વભાવ ઘડતર માં પણ ખુબ ઊંડી અસર કરે છે જેના પરિણામ સ્વરૂપ તે વિશ્વમાં તમામ લોકો ને જેતે કેટેગરીમાં મૂકે છે. બે વાત છે , એક પોતાને ભૂતકાળમાં અનુભવો થી… Read More

મહેનત છતાં સફળતા કેમ નહિ ?

નમસ્કાર દોસ્તો… ઘણા સમયથી તમારી કોઈ સાથે વાત નથી થઈ અને ઘણા સમયથી બ્લોગ પણ લખ્યો નથી… તો અત્યારે હું બ્લોગપોસ્ટ લખવા જઈ રહ્યો છું જેનો વિષય છે કે વ્યક્તિ મહેનત કરે છે તો પણ તેને સફળતા કેમ નથી મળતી? તો થોડાક દિવસોથી મેં જે અધ્યયન કર્યું છે, સ્ટડી કર્યું છે તેને આપ સમક્ષ રાખવા માટે આ બ્લોગ પોસ્ટ કરી રહ્યો છું. ઘણી વખત આપણા જીવનમાં આપણે જયારે ખુબ જ મહેનત કરતા હોઈએ છીએ પરંતુ કોઈ પણ એક ક્ષેત્રમાં આપણે મહેનત નથી કરતાં અને જેને કારણે આપડે જે તે ક્ષેત્રમાં… Read More

આખી વાર્તા જાણ્યા વગર તેની ધારણા ન બાંધવી જોઈએ.

દરેક વ્યક્તિની પોતાની વાર્તાનું પોતાનું વર્ઝન હોય છે. આપણે કોઈની પાસેથી જે સાંભળીએ છીએ તે આખું સત્ય હોઈ તે જરૂરી નથી. જો આપણે કોઈ એકતરફી વાર્તાને આધારે કોઈ નિર્ણય કે ધારણામન માં બાંધી લઈએ છીએ, તો આપણે ફક્ત એક જ હૃદયની તરફેણ કરી કહેવાય. દરેક વ્યક્તિ ને પોતાનો મિત્ર કે વહાલા-દવલાંઓ તો સાચા લગતા જ હોઈ છે જે કુદરતી છે. પણ અહીં એક વાત સ્પષ્ટ કરી લેવી જરૂરી છે કે જયારે આપણે કોઈ પુસ્તક વાંચીએ ત્યારે એમાં કોઈ ફાટેલું પન્નુ આવે તો એ વાર્તા આપણને ખ્યાલ નથી આવતી અને જોવાની… Read More

વારંવાર નિષ્ફળતા મળે ત્યારે શું કરવું?

શુ તમને દરેક વખતે નિષ્ફળતા મળે છે? તમે દર વખતે એકજ સરખા પ્રયત્નો કરો છો. એકજ લોઢાની દીવાલ પર એક સરખા હથોડા મારવા છતાં કંઈ નથી થતું તો જગ્યા બદલવાની જરૂર છે. જ્યાં તમારે પહોંચવું છે એના માટે સરખા આયોજન ની જરૂર છે. એક સફળ વ્યક્તિ સમય સંજોગ અને પરિસ્થિતિને આધીન બદલા હંમેશા તૈયાર હોય છે. માત્ર કામ જ કરવા થી જ સફળ થવાઈ એવું નથી. કામ કરવાની રીતમાં ફેરબદલ પણ જરૂરી છે ખાસ કરીને ત્યારે જ્યારે નિષ્ફળતા ઉપર નિષ્ફળતાઓ મળતી હોય. હતાશા અને નિરાશાને આને ક્યારેય જીવનમાં ન આવવા… Read More

આજની મારી જવાબદારી, આવતીકાલે બીજાની…

ઘણી વાર જીવનમાં આપણે આપણી જવાબદારીઓ બખૂબી જાણીને નિભાવતા હોઈએ છીએ. પરંતુ જીવન હંમેશા પરિવર્તનશીલ હોઈ છે જે કોઈ નવી વાત નથી. મારા જીવનમાં કેટલાક કાર્ય મેં કર્યા, જેમાં અમુક કાર્ય મને આજે પણ યાદ છે. એવા કર્યો કે જેને યાદ કરતા જેતે સમયનો આનંદ આજ ક્ષણે ઉભરી આવે છે. આ બ્લોગ લખવાની પ્રેરણા મને એક કાર્યક્રમ માંથી મળી. આ કાર્યક્રમમાં હું એન્કર તરીકે કામ કરતો હતો. આખા કાર્યક્રમમાં જ્યારે એ એક સાંસ્કૃતિક ડાન્સ આવ્યો ત્યારે એ ક્ષણ પણ મને યાદ આવી જ્યારે એક સમયે હું પણ એ જ ગીત… Read More

જે સર્વત્ર છે તેનો સંગાથ…

પરમાત્મા વિશ્વના કણ-કણ માં છે. એ મારામાં પણ છે, એ તમારામાં પણ છે એ દરેક વસ્તુમા છે ત્યારે એક સાધકના મનમાં પ્રશ્નો ઉદ્ભવે કે એ કણે કણમાં છે તો એની ખોજ કરનાર કોણ? જે પોતે જ બધુ હોઈ તો એને શોધનાર કોણ? શુ તે એક સિવાય પણ બીજું કોઈ હોઈ શકે? આવા અનેક પ્રશ્નો એક સાધકને અનુભવાતા હોઈ છે. અને આજ પ્રશ્નો તેને અલગ અલગ સાધના માર્ગ તરફ લઈ જાય છે. અને તેની પ્રકૃતિ પ્રમાણે અનેક સાધના માર્ગમાં જશે અને તેને માફક જે માર્ગ મળે તેને અવલંબિત કરી આગળ વધે… Read More