સફળતા ત્યારે જ ચરિતાર્થ થાય છે જ્યારે આપણાં સપનાઓ આપણાં બહાનાઓ થી મોટા હોય…

કોઈ પણ કાર્ય કરવા માટે એક કારણ પૂરતું છે પણ જ્યારે કાર્ય કરવાની ઈચ્છા જ ન હોઈ ત્યારે માનવી હજારો બહાનાઓ શોધી લેતો હોય છે.

આપણા બહાનાઓ જ આપણને કોઈ પણ પગલું ભરવામાં અવરોધ રૂપ થાય છે કારણકે તેનાથી આપણને કારણ મળી જાય છે જેતે કાર્ય ન કરવા માટે.

આપણે સફળતાઓને ત્યારે જ પ્રાપ્ત કરીએ છીએ જ્યારે આપણા નિર્ણય એટલા સશક્ત હોઈ કે તેની સામે બહાનાઓ કમજોર પડી જાય.

બહાનાઓમાં પોતાની ઉર્જા વ્યય કરવા કરતા પોતાની આવડત, કાળા કે કબીલીયત પર કાર્ય કરો, તેની સાથે કોઈ પણ પ્રકારની બાંધ છોડ કર્યા વગર તેને ઉભારવાનો પ્રયત્ન કરતા રહો. પોતાના આત્મ વિશ્વાસ ને સશક્ત કરતા રહો. આ દુનિયામાં તેજ સૌથી વધુ મદદરૂપ બહુમૂલ્ય વસ્તુ છે. આંતરિક વિકાસ એ બાહ્ય સહાય કરતા પણ મૂલ્યવાન છે.

જીવન એવી રીતે જીવો કે અંત સમયમાં આપણને આપણાં પર પસ્તાવો ન થાય. દરેક તકને જડપીલો. જીવન આપણને સૌને એક જ મળ્યું છે અને તે ખૂબ જ ટૂંકું છે તો તેને એવી રીતે જીવીએ કે તેનો ઉપયોગ વધુમાં વધુ કરી શકીએ – આત્મ સમ્માન થી જીવી શકીએ.

(Visited 34 times, 1 visits today)

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *