જીવનના રસ્તામાં ઘણીવાર આપણી ગાડી પાટા પર થી ઉતરી જાય છે કારણકે આપણે ખૂબ જ ચિંતા કરતા હોઈએ છીએ કે આપણા વિશે લોકો શુ વિચારતા હશે? અને તેવો આપણી શુ વાતો કરતા હશે? સાચી વાત તો એ છે કે લોકોનું કામ જ વાતો કરવાનું છે, વાત કરવા માટે લોકોને વિષયની જરૂર હોય છે ખરેખર તે લોકોને આપણાં રસ્તા કે આપણી ગાડી સાથે કોઈ નિસબત હોતી નથી. તેવોના પ્રતિભાવની કે વિચારધારાની ચિંતામાં પોતાની યાત્રા અટકાવો નહિ. લોકો માત્ર અનુમાન લગાવી શકે છે પણ તેવો ક્યારેય આપણા આગામી નિર્ણય વિશે અંદાજો નહિ… Read More
Blog
આત્મિક વિશ્વાસ હોય તોજ સફળતા મળે છે
આત્મિક વિશ્વાસ હોય તોજ સફળતા મળે છે….. હરણ ની દોડવાની સ્પીડ 90kmh. હોય છે અને વાઘ ની 50kmh., છતાંપણ વાઘ હરણ નો શિકાર તો કરે જ છે, કારણ કે હરણ ના મનમાં ડર હોય છે. હરણ ને મન એમ કે એ વાઘ થી કમજોર છે, આ ડર થી એ વારેઘડી પાછળ જોયા જ કરે છે, એમાં એની ગતી અને મનોબળ ઓછું થતું જાય છે, એમાંજ એ વાઘનો શિકાર થઈ જાય છે. આનાથી એ શીખ મળે છે કે આત્મિક આત્મવિશ્વાસ હોય તો સફળતા મળે છે. SOURCE: Facebook (By Anil Sharma)
મારુ મેદાન, મારી રમત..
ગરુડ એ આકાશનો રાજા છે. અન્ય કોઈ પણ પક્ષી તેના આકાશમાં હરીફ ન બની શકે. સિંહ એ જંગલનો રાજા છે અન્ય કોઈ પ્રાણી એને પહોંચી ન વળે. જીવનની રમત પણ કંઈક એવી જ છે પણ અહીં માણસ જ માણસનો હરીફ છે. જરૂરી નથી એક વ્યક્તિ જે fieldમાં આગળ વધી ગયો હોય તેજ fieldમાં આપણે આગળ વધીએ. સિંહ ક્યારેય ગરુદનો મુકાબલો ન કરી શકે અને ગરુડ ક્યારેય સિંહનો મુકાબલો ન કરી શકે. બંનેના domain અલગ અલગ છે આથી એમની વચ્ચે સ્પર્ધાનો પ્રશ્નજ નથી. આપણે પણ આપણા જીવનમાં આપણુ મેદાન શોધવાની જરૂર… Read More
પ્રયત્નો જ સંભાવનાઓનો જન્મ આપે છે.
આપણા જીવનમાં આપણે બીજા લોકો થી કંઈક અલગ કરવામાં તકલીફ તો જરૂર પડે છે પણ જો આપણે તે માટે પ્રયત્ન જ નહીં કરીએ તો આપણને આપણી કાબિલિયત થી વિલિપ્ત જ રહીશું. પોતાની જ ખૂબીઓ થી અપરિચિત રહેવું એ દુર્ભાગ્ય પૂર્ણ છે. ઘણીવાર આપણે બીજા લોકો થી કંઈક અલગ એટલા માટે નથી કરતા કેમકે આપણી અંદર કંઈક ડર બેઠેલો હોઈ છે. ડર કંઈક ખોઈ બેસવાનો. પ્રયત્ન પહેલાનો ડર એ પ્રયાસ પહેલા માની લીધેલી હાર સમાન છે. ઘણા વિરલાઓ હોઈ છે જે પહેલા જ પ્રયત્ને અંધારામાં તિર મારીને પોતાનું લક્ષ ભેદી નાખે… Read More
મતભેદ અને સંબંધ.
આપણા દરેકના જીવનમાં પોતપોતાના અલગ અલગ અભિપ્રાયો, મંતવ્ય કે દ્રષ્ટિકોણ હોઈ છે અને આજ વસ્તુઓ ઘણા સંબંધો વચ્ચે દીવાલ ઉભી કરી દેતા હોય છે. આ સમસ્યાનો જો ઉકેલ કરવામાં ન આવે તો આ સમસ્યા વધતી જ જાય છે અને સંબંધની સમાપ્તિ સાથે પૂર્ણ થાય છે. આપણે આપણા દૈનિક જીવનમાં જોયું જ છે કે જે લોકોના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય તેવો મોટા ભાગે એક થતા જ નથી. આવું કોઈ પણ સંબંધમાં થઈ શકે એનો અર્થ એ નથી કે સમસ્યા સંબંધોમાં છે. આપણે આપણા આખા જીવનમાં ક્યારેય બીજા જેવા એક સમાન રહેવાના… Read More
કાર્ય મૂડી.
સામાન્ય ભાષામાં કાર્ય મૂડી એટલે આપણા ધંધામાં એટલી મૂડી કે જેના લીધે આપણું કામ ના અટકે. આને આપણે દિવસ, મહિના કે વર્ષના સંદર્ભમાં નક્કી કરી શકીએ. જેમ આપણાં શરીરમાં લોહી કામ કરે છે એવી જ રીતે કોઈ પણ ધંધામાં કાર્ય મૂડી જેને અંગ્રેજીમાં working capital કહેવાય છે. જેમ શરીરમાં લોહી જ ન હોઈ તો શરીર જીવિત જ ન રહી શકે એવી જ રીતે જો ધંધામાં working capital ન હોઈ તો ધંધો બંધ થઈ જાય. જેમ શરીરમાં લોહીની જરૂર છે તેવીજ રીતે ધંધામાં કાર્યમૂડીની જરૂર છે. ઉમેશકુમાર તરસરીયા કાર્ય મૂડીને એક… Read More
જીવનના દરેક કાર્ય એક સારા હેતુ સાથે….
આપણા જીવનની દિશા આપણા દ્વારા નક્કી કરેલ “હેતુ” જ નક્કી કરે છે. જો આપણો હેતુ સકારાત્મક હોઈ તો ગમે તેવું કામ કેમ ન હોઈ તે એક સંતોષ કારક અંત સાથે પૂર્ણ થાય છે. આપણાં દ્વારા કરવામાં આવેલા કાર્યોની અસર માત્ર આપણને જ નહીં પરંતુ આપણી આસપાસના દરેક વ્યક્તિઓને પણ થાય છે. આપણો હેતુ જ આપણા કાર્યને નક્કી કરવામાં મદદરૂપ થાય છે. ઘણીવાર આપણા જીવનમાં આપણે સારા હેતુ સાથે કામ કરતા હોવા છતાં, ધાર્યા પરિણામ કરતા પરિસ્થિતિ વિપરીત થઈ જાય છે. એવા સમયે આપણે હતાશ અને નિરાશ થઈને ખૂબ જ કપરા… Read More
સારી વાતો નહીં, સારું કાર્ય…
કરેલા કામનો અવાજ બોલેલા શબ્દ કરતા પણ વધુ હોય છે. આ વાક્ય વાંચી તમે કહેશો કે ખરેખર શું કામ બોલે, મારો જવાબ છે હા બોલે..આપણા બાપ દાદાના ઘણા કામો હશે જે આજે પણ બોલતા હશે ભલે એ હોઈ કે ન હોઈ. અહીં મારો કહેવાનો અર્થ બોલવાના અવાજ સાથે નથી પણ પડઘા સ્વરૂપ એક ઘટના સાથે સંબંધ છે. મેં ઘણા સમય પહેલા એક પોસ્ટમાં લખેલું કે સફળતા એ એક આદત છે. જો તમે એ વાંચી ન હોઈ તો મેં લિંક આપેલી છે જે તમે વાંચી શકો છો. આપણી વાતો કે પ્લાનિંગ… Read More
દરેક વ્યક્તિમાં મહાન થવાનું બીજ હોઈ જ છે.
મિત્રો તમે ઘણા સમય થી મારા બ્લોગ સાથે જોડાયેલા હસો તો એક વાત તમે માર્ક કરી હશે કે મારા બ્લોગ પર મોટા ભાગની પોસ્ટ motivation (પ્રેરણા)ને સંબંધિત જ હોઈ છે. આ પ્રકારની પોસ્ટ માટે ઘણા લોકો વિચારતા હશે કે આ શુ જ્ઞાન વહેંચતો ફરતો હશે તો મારો જવાબ છે ” પ્રેરણા એ એક એવો શબ્દ છે કે જે એક દ્વારા બીજાને આપવામાં આવે છે, આપણે દુનિયાને તેજ આપી શકીએ જે આપણી પાસે હોઈ. દુઃખી માણસો પાસે દુઃખની વાતો મળશે, સુખી વ્યક્તિઓ પાસે જશો તો સુખની વાતો મળશે એવીજ રીતે motivated… Read More
આજનો દિવસ હાર માની લેવા માટે શ્રેષ્ઠ તો નથી જ…
એક બાળક જયારે ચાલતા શીખે ત્યારે અનેક વાર પડે છે, પણ એ બાળક ચાલવાનું શીખવાનું ધ્યેય પડતું નથી મુક્તો કેમકે તેની સામે અનેક લોકો હોઈ છે જે તેના જેવાજ પગ પર ચાલતા હોઈ છે. જીવનના આકરા સમયમાં કે સામાન્ય સંજોગોમાં પડી જવું એ એક સામાન્ય ઘટના છે, મોટાભાગના લોકો પોતાના જીવનમાં પડીને જ ઉભા થાય છે. અને આપણે પણ એમાના જ એક છીએ. જયારે કોઈ તિર નિશાના પર તાકવામાં આવે ત્યારે દરેક તિર પોતાના લક્ષ્યાંક પર જ જાય તેવું નક્કી નથી, મોટા ભાગના તિર અન્ય જગ્યાએ જઈને જ પડે છે…. Read More