સામાન્ય ભાષામાં કાર્ય મૂડી એટલે આપણા ધંધામાં એટલી મૂડી કે જેના લીધે આપણું કામ ના અટકે. આને આપણે દિવસ, મહિના કે વર્ષના સંદર્ભમાં નક્કી કરી શકીએ. જેમ આપણાં શરીરમાં લોહી કામ કરે છે એવી જ રીતે કોઈ પણ ધંધામાં કાર્ય મૂડી જેને અંગ્રેજીમાં working capital કહેવાય છે. જેમ શરીરમાં લોહી જ ન હોઈ તો શરીર જીવિત જ ન રહી શકે એવી જ રીતે જો ધંધામાં working capital ન હોઈ તો ધંધો બંધ થઈ જાય. જેમ શરીરમાં લોહીની જરૂર છે તેવીજ રીતે ધંધામાં કાર્યમૂડીની જરૂર છે. ઉમેશકુમાર તરસરીયા કાર્ય મૂડીને એક… Read More
Searched for
જીવનના દરેક કાર્ય એક સારા હેતુ સાથે….
આપણા જીવનની દિશા આપણા દ્વારા નક્કી કરેલ “હેતુ” જ નક્કી કરે છે. જો આપણો હેતુ સકારાત્મક હોઈ તો ગમે તેવું કામ કેમ ન હોઈ તે એક સંતોષ કારક અંત સાથે પૂર્ણ થાય છે. આપણાં દ્વારા કરવામાં આવેલા કાર્યોની અસર માત્ર આપણને જ નહીં પરંતુ આપણી આસપાસના દરેક વ્યક્તિઓને પણ થાય છે. આપણો હેતુ જ આપણા કાર્યને નક્કી કરવામાં મદદરૂપ થાય છે. ઘણીવાર આપણા જીવનમાં આપણે સારા હેતુ સાથે કામ કરતા હોવા છતાં, ધાર્યા પરિણામ કરતા પરિસ્થિતિ વિપરીત થઈ જાય છે. એવા સમયે આપણે હતાશ અને નિરાશ થઈને ખૂબ જ કપરા… Read More
Blog of Umeshkumar
Hi. I am Umesh Tarsariya I am Blogger Writer Flutist
સારી વાતો નહીં, સારું કાર્ય…
કરેલા કામનો અવાજ બોલેલા શબ્દ કરતા પણ વધુ હોય છે. આ વાક્ય વાંચી તમે કહેશો કે ખરેખર શું કામ બોલે, મારો જવાબ છે હા બોલે..આપણા બાપ દાદાના ઘણા કામો હશે જે આજે પણ બોલતા હશે ભલે એ હોઈ કે ન હોઈ. અહીં મારો કહેવાનો અર્થ બોલવાના અવાજ સાથે નથી પણ પડઘા સ્વરૂપ એક ઘટના સાથે સંબંધ છે. મેં ઘણા સમય પહેલા એક પોસ્ટમાં લખેલું કે સફળતા એ એક આદત છે. જો તમે એ વાંચી ન હોઈ તો મેં લિંક આપેલી છે જે તમે વાંચી શકો છો. આપણી વાતો કે પ્લાનિંગ… Read More
દરેક વ્યક્તિમાં મહાન થવાનું બીજ હોઈ જ છે.
મિત્રો તમે ઘણા સમય થી મારા બ્લોગ સાથે જોડાયેલા હસો તો એક વાત તમે માર્ક કરી હશે કે મારા બ્લોગ પર મોટા ભાગની પોસ્ટ motivation (પ્રેરણા)ને સંબંધિત જ હોઈ છે. આ પ્રકારની પોસ્ટ માટે ઘણા લોકો વિચારતા હશે કે આ શુ જ્ઞાન વહેંચતો ફરતો હશે તો મારો જવાબ છે ” પ્રેરણા એ એક એવો શબ્દ છે કે જે એક દ્વારા બીજાને આપવામાં આવે છે, આપણે દુનિયાને તેજ આપી શકીએ જે આપણી પાસે હોઈ. દુઃખી માણસો પાસે દુઃખની વાતો મળશે, સુખી વ્યક્તિઓ પાસે જશો તો સુખની વાતો મળશે એવીજ રીતે motivated… Read More
આજનો દિવસ હાર માની લેવા માટે શ્રેષ્ઠ તો નથી જ…
એક બાળક જયારે ચાલતા શીખે ત્યારે અનેક વાર પડે છે, પણ એ બાળક ચાલવાનું શીખવાનું ધ્યેય પડતું નથી મુક્તો કેમકે તેની સામે અનેક લોકો હોઈ છે જે તેના જેવાજ પગ પર ચાલતા હોઈ છે. જીવનના આકરા સમયમાં કે સામાન્ય સંજોગોમાં પડી જવું એ એક સામાન્ય ઘટના છે, મોટાભાગના લોકો પોતાના જીવનમાં પડીને જ ઉભા થાય છે. અને આપણે પણ એમાના જ એક છીએ. જયારે કોઈ તિર નિશાના પર તાકવામાં આવે ત્યારે દરેક તિર પોતાના લક્ષ્યાંક પર જ જાય તેવું નક્કી નથી, મોટા ભાગના તિર અન્ય જગ્યાએ જઈને જ પડે છે…. Read More
દિલ માંગે મોર, કમ્બખ્ત ઇશ્ક યા કુછ ઔર?
ગઈ કાલે જયારે હું મારા ઘરે મારૂ કામ વધાવીને આવતો હતો ત્યારે રસ્તામાં એક બ્રિજ ઉપર એક કપલને લિપ્સ કિસ કરતા જોયું. જાહેર વાત છે જાહેર સ્થળે કિસ એટલે લાઇસન્સ વગરનું કપલ હતું. હાલ કોરોના જેવા ખતરાઓ વચ્ચે પણ આવા ખાતરોકે ખિલાડીઓ આ પ્રકારના ખતરાઓ લેવા તૈયાર થઇ જતા હોઈ છે. ખતરો એટલા માટે કેમકે કોરોનનું સંક્રમણ લિપ્સ કિસ દ્વારા તો 100% ફેલાયજ. એ બંનેને કોરોના થાય તો એમને તો ડરવાની જરૂર છે જ નઈ કેમકે મોર્ટાલીટી રેટ માત્ર 4% જ છે અને એ 4% માં ગંભીર બીમારી વાળા દર્દીઓ… Read More
અભિપ્રાય દરેકના પણ નિર્ણય પોતાના…
લોકો ઘણીવાર અન્ય લોકોના વ્યવહાર, આચરણ કે વાત અંગે પોતાનો અભિપ્રાય આપતા ફરે છે અને એ અભિપ્રાયની જરૂર હોઈ કે ન હોઈ તેવો પોતે પોતાનો ન્યાય આપવા ક્યારેય પાછા પડતા નથી. આપણા માટે અંતે શું મહત્વ છે? અંતે તો આપણો અભિપ્રાય છે અને આપણે આપણા જીવનમાં કેટલો આનંદ માણ્યો તેજ મહત્વ ધરાવે છે. જ્યારે લોકો અન્ય લોકોના અભિપ્રાય પર પોતાનું જીવન જીવે છે, ત્યારે તેઓ પોતાને મર્યાદિત કરે છે, પોતાની વિકાસની એ સંભાવનાવોનું મર્ડર કરે છે. જો આ જ રીતે આપણે આપણી જાતને બીજાના અભિપ્રાય મુજબ જ જીવીશું તો આપણે… Read More
સમસ્યા નથી, ઉકેલની વાત…
આપણો હેતુ માત્ર જાગવું, ખાવું અને પછી સુવાનો જ નથી, આ ધરતી પરના દરેક જીવ જંતુ પ્રાણી માત્ર આ કરે જ છે. પણ આપણે જ એક એવા માનવી છીએ જે ધારે તે કરી શકે. આથી મગજનો ઉપયોગ વિચારવા અને સમસ્યાના સમાધાન કરવામાં કરવો જોઈએ. આજ વસ્તુ આપણને સૌને અન્ય પ્રાણી માત્ર થી અલગ કરે છે. જીવનનો ઉદેશ્ય જાણો અને એ પ્રમાણે જીવન જીવો. આજ જીવનનો સાચો સાર છે. મેં ઘણા લોકોને જોયા છે જે સાહસ તો કરે છે જીવનમાં કંઈક કરવા માટે પણ પોતાના મગજનો ઉપયોગ પુરે પૂરો કરતા નથી… Read More
શું સમય ક્યારેય ચાલ્યો જાય ખરો?
આપણે ઘણા લોકોને સાંભળતા હોઈએ છીએ કે “હવે અમારો સમય નથી, અમારો સમય હવે જેતે કાર્ય કરવા માટે જતો રહ્યો છે.” આવીજ વાત સાંભળીને મારા મનમાં પ્રશ્ન ઉભો થયો કે શું સમય ખરેખર કશે જાય ખરો? એ આપણી ભૂલ છે કે આપણે વિચારીએ છીએ કે સમય ચાલ્યો ગયો, સમય કશે જતો નથી. સમય અહીં જ છે જ્યાં સુધી આ દુનિયા છે. તે અનંત છે જે ક્યારેય ચાલ્યો જવાનો નથી. ઉમેશકુમાર તરસરીયા જે ચાલ્યા જાય છે તે આપણે પોતે છીએ. આપણે ક્યારેય સમયનો વ્યય કરવો ન જોઈએ, આમ કરવાથી આપણે આપણને… Read More