Searched for

સંબંધ : જ્યારે બંને બાજુ લાગણીઓ બંધાઈ ત્યારે જ બને…

સંબંધ સમાજનું એક એવું પાસું કે જેના વગર સમાજ અપંગ જણાય… જી, મિત્રો..! આજે હું આ સંબંધ વિશે જ લખવા જઈ રહ્યો છું. સંબંધ એટલે શુ? જ્યારે બે વ્યક્તિ, પરિવાર, કુટુંબ કે અન્ય ધર્મ સમુદાય ના લોકો એક બીજા સાથે લાગણી શીલ વ્યવહાર રાખવા ઇચ્છતા હોય અને એ ફળીભૂત પણ થતું હોય તેને સંબંધ કહેવાય. મેં ઘણા લોકો ને કહેતા સાંભળ્યા છે “અમારો સંબંધ હવે પેલા લોકો જોડે પહેલા જેવો રહ્યો નથી”. આવા સંજોગો માં કોઈ એક કે બંને પક્ષ વચ્ચે એ લાગણીની અણ-ઉપસ્થિતિ સ્પષ્ટ પણે વર્તાતી હોઈ છે. એક… Read More

અવરોધ ની પેલી પાર…

તમારા સ્વપ્નો, તમારા ધોરણો, તમારી સફળતા માટે કામ કરો – બીજાઓ ના સ્વપ્નો માટે નહિ !! ગમે તે હોય, હકારાત્મક રહો. સાચો વલણ જાળવો। ભૂલ પર ઊંઘશો નહીં, ભૂલો માં સુધારા કરી આગળ વધો. ભૂલો દ્વારા તમને તમારા જીવનને વધુ સારું બનાવવા માટે, સકારાત્મક ફેરફારો અને નિર્ણયો લેવા માટે અમૂલ્ય અવસર મળ્યો છે તેને ગુમાવશો નહિ. યાદ રાખો, આ દુનિયા અનિચ્ચિતતાઓ થી ભરેલી છે, કોઈ અવરોધ તમારામાં શ્રેષ્ઠતા લાવશે અને ત્યાર બાદ નું જીવન તમે જ સુખ શાંતિમય અનુભવશો. જ્યારે તમને કોઈપણ અવરોધ અથવા પડકારનો સામનો કરવો પડતો હોય, ત્યારે… Read More

સપનાઓ હશે, તો સફળતાઓ પણ હશે જ…

જીવન માં સફળતા ત્યારે જ મળે જ્યારે પરિશ્રમ થકી નસીબને પણ બદલવાની ક્ષમતા આપણા માં હોઈ. નશીબ બાહ્ય સહાયક છે પરંતુ માત્ર તેના જ ભરોસે બેસી રહેવા થી સફળતા મળશે જ તે 100% કહી ન શકાય પરંતુ જ્યારે નશીબ સાથે કે તેના વગર પરિશ્રમ કરીએ તો સફળતા 100% મળે જ છે. સાહેબ, આપણે નસીબના ટેકે બેસવા વાળા વ્યક્તિ નથી. સપનાઓ જોઈએ પણ છીએ અને સાકર કરવાની તાકાત પણ રાખીએ છીએ. બસ જરૂર છે એક સપનાની કે જે આપણને આપણું લક્ષ બતાવે અને ધ્યેયના રસ્તે આગળ વધારે.

અજ્ઞાનીને જ કંઈક શીખવી શકાય, જ્ઞાનીને નહીં..!

બાળક જ્યારે નાનુ હોઈ ત્યાર થી જ તે કંઈકને કંઇક શીખતું આવતું હોય છે. આજના સમયમાં જે રીતે બાળકો નવી વસ્તુ શીખી રાખ્યા છે, જોતા એવું લાગે છે કે માતાના ગર્ભ માંથી જ તે શીખીને આવ્યા હોય. પરંતુ મિત્રો, આજે આ ઉંમરે મને અહેસાસ થાય છે કે જેમ જેમ વ્યક્તિ મોટો થતો જાય છે તેમ તેમ તેનું શીખવાનું કૈશલ્ય ઘટતું જાય છે. એક ઉમરે વ્યક્તિને એવું લાગે છે કે તેને બધું જ આવડે છે. તેને કોઈની જ્ઞાન બાબતે જરૂર જ નથી પોતે વિદ્વાન થઈ ગયા છે. બસ આજ સમયે તે… Read More

આપનાર ક્યારેય એકલો નથી હોતો…

મિત્રો, આપણે જન્મ થી જ કંઈકને કંઈક દુનિયા પાસે થી લેતા જ આવ્યા છીએ. નાનપણ થી જ માતા પિતાની સાર સંભાળ, પરિવારનો લાડ, શિક્ષકો પાસે થી અભ્યાસ. પરંતુ આજ નદીની ધારામાં વહેતા વહેતા ક્યારેક કોઈક વિરલાને જ એ જણાય કે આપણે માત્ર લેતાજ આવ્યા છીએ તો આપનાર કોણ? આપણે કંઈક લઇ રહ્યા છીએ એ ત્યારેજ શક્ય બને જ્યારે કોઈ આપનાર હોઈ. મોટાભાગના સમાજના લોકો માત્ર લેવામાંજ રહેતા હોય છે જ્યારે આપનાર ઓછા હોઈ છે. મિત્રો, ઉપર આપેલા ચિત્રને જુવો એક વૃક્ષ છાંયો આપી રહ્યું છે અને તેની છાયામાં અનેક લોકો… Read More

અતિ વિનયમ ધૂર્થા લક્ષનમ

ચંદનનું વૃક્ષ પુરી દુનિયામાં પોતાની સુગંધ થી ઓળખાઈ છે અને આજ વૃક્ષ પર આ દુનિયાના સૌથી જેરી નાગ પણ રહે છે. આવીજ રીતે બહાર થી મીઠું મીઠું બોલનાર વ્યક્તિ અંદરને અંદર આપણા માટે દુશ્મનાવટનો ભાવ પણ રાખી શકે છે. અતિ વિનયમ ધૂર્થા લક્ષનમ જરૂરિયાત કરતા વધુ વિનમ્રતા સાથે વાત કરવાવાળા અહિતકારી સિદ્ધ થઈ શકે છે. આથી ચંદનનું વૃક્ષ હોઈ કે જીવનમાં મળવાવાળા વ્યક્તિ – ઉચિત નિરીક્ષણ કર્યા બાદજ તેને આપણા જીવનમાં સ્થાન આપવું જોઈએ. જેથી આપણે સુરક્ષિત રહીએ.

સફળતાનો મંત્ર – કમ્ફર્ટ ઝોન છોડો

પક્ષીઓના ખાલી માળાને જોયો છે? એ બતાવે છે કે તેમાં રહેતા પક્ષીના સંતાનો એ ઉડવાનું શીખી લીધું છે. તેવો જીવનમાં આગળ વધી ચુક્યા છે. તેવીજ રીતે જો આપણે પણ જીવનમાં આગળ વધવું હોઈ, સફળતા મેળવવી હોઈ તો આ પક્ષીઓની માફક આપણી સુખ સુવિધાનો ત્યાગ કરીને, આપણું સુરક્ષિત વાતાવરણ છોડીને બાધાઓનો સામનો કરવો પડશે. યાદ રાખો, ભૂતકાળ સાથેનો મોહ ભવિષ્યમાં મળનારી સફળતાના માર્ગનો સૌથી મોટો અવરોધ છે.

ધીરજ , યોજના અને અનુસરણ

વનમાં મોટા ભાગના પશુ પક્ષી પેટ ભરવા શિકાર કરે છે આ શોધમાં ક્યારેક સફળ થાય છે તો ક્યારેક અસફળ. પરંતુ એક શિકારી છે જેનો હુમલો ક્યારેય અસફળ નથી જતો. એ છે બાજ. બાજ હંમેશા સફળ એટલા માટે થાય છે કારણકે તેના દરેક શિકારની પાછળ એક યોજના હોઈ છે. તે પોતાના શિકારને જોઈને તરત હુમલો નથી કરતો, પહેલા તેના પર નજર બનાવી રાખે છે. કલાકો , દિવસો સુધી સતત તેની ઊંચાઈએ થી તેની આજુ બાજુ ઘૂમે છે. શિકારને તેની જાણ પણ નથી થવા દેતો અને પછી ઉચિત સમયે ઝપટે છે અને… Read More

પોતાની ખામીઓ ક્યારેય ઉજાગર ન કરો..

રુદ્રાક્ષ, કહેવાય છે કે તે મહાદેવના આંસુ છે. જ્યારે આંસુ આવે ત્યારે તેને જાતેજ લૂછી લો. કેમકે બીજા કોઈને આંસુ લુછવા આપ્યા તો તેવો તેનો દૂર ઉપયોગ કરશે. અન્ય લોકો આપણી ખામીઓને જાણીને પહેલા સહાનુભૂતિ દેખાડશે અને પછી બદલામાં ઘણું બધું લઇ જશે. એટલા માટે આપણી ખામીઓને ક્યારેય આંસુ બનવા ન દો. આપણી ખામીનું જ્ઞાન કોઈને ન થવા દો. સ્વયં પર એકાંતમાં કાર્ય કરો અને આપણી ખામીને જ આપણી તાકાત બનાવો. મહાદેવના રુદ્રાક્ષની જેમ આપણા આંસુને, આપણી ખામીઓને એક અલગ રૂપ આપો. યાદ રાખો જો આપણી ખામીઓ બીજાને બતાવી તો… Read More